ગળતેશ્વર તાલુકાના માલવણ અને પડાલ ગામે આજે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશય રેલી યોજાઈ હતી. આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આયોજિત આ રેલીમાં બન્ને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આંગણવાડીના કાર્યકરો, આશાદીપના નિયામક તથા સ્ટાફ જોડાયો હતો.

પ્રસ્તુત રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ બેનર તથા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા જાગૃત કર્યા હતા