આંદોલન પર ઉતરેલા આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારે  મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આરોગ્યકર્મીઓને રૂ.4 હજારનો ઉચ્ચક પગાર વધારો મળશે. ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર અપાશે. બે દિવસમાં રાજ્ય સરકાર માંગણી સ્વીકારવાનો ઠરાવ કરશે.આ જાહેરાત કરતાં સરકારે આરોગ્ય કર્મચારીઓને સેવા પર પરત ફરવા વિનંતી કરી છે. 

4 હજારનો માસિક ઉચ્ચક વધારો 
HRA - મેડિકલ અલાઉન્સી માંગણીઓ સ્વીકારી 
130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વીકારી છે
PTAની માંગણીનો સ્વીકાર 
જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને લાભ મળશે
આ બાબતે બે દિવસમાં ઠરાવ થશે
અગાઉના નિર્ણય મુજબ સરકારે ગ્રેડ-પે ની માગણી માટે કમિટીની રચના કરી છે

મહત્વનું છે કે છેલ્લા 42 દિવસથી આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. જે બાદ આંદોલન માટે રચાયેલી 5 મંત્રીઓની કમિટી સતત આરોગ્યકર્મીઓના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. કારણ કે કર્મચારીઓની હડતાળને લઇ અનેક સેવાને અસર પડી રહી છે. ટીબી, મેલેરિયા, ચીકનગુનિયા, કોરોનાની કામગીરી પર અસર થાય છે. PM JAY કાર્ડ કઢાવવાની કામગીરીમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે. જેથી સરકારે આડકતરી રીતે એ પણ કહ્યું છે કે ઉપરોક્ત નિર્ણયનો લાભ તેણે જ મળશે જે આવતીકાલની સેવામાં જોડાશે.

કર્મચારીઓની માગ શું હતી?

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ હડતાળ
ગ્રેડ-પે સહિતના મુદ્દાઓને લઇ ચોથી વખત આરોગ્ય કર્મચારીઓની હડતાળ
2017, 2019 અને 2021માં કર્મચારીઓ માંગણીઓને લઇ હડતાળ કરી હતી
અગાઉ સરકારે માંગણીઓનું સમાધાન માટે આપ્યું હતું આશ્વાસન
આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900 થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ
કોવિડ સમયમાં કરેલા કામનું ભથ્થુ આપવા માગ
ફેરણી ભથ્થુ (PTA) આપવા કર્મચારીઓની માગ