પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા શ્રાવણ માસના પહેલા સોમવારના રોજ શ્રી મહાલક્ષ્મી ઉત્તર ભારતીય મિત્ર મંડળ દ્રારા વલસાડ ના ઘડોઈ ફાટક નજીકથી દર વર્ષના જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રા માં 400 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા.વલસાડના ઘડોઈ ગામથી નીકળેલી આ કાવડ યાત્રા ઘડોઈ ફાટક થઈ ગુંદલાવ કૈલાસ રોડ થઈ વલસાડ શહેરમાં પ્રવેશ કરી વલસાડ સુપ્રસિદ્ધ તડકેશ્વ મહાદેવ મંદિર પોહચી તમામ શ્રદ્ધાળુઓએ ભગવાન શંકરના આશીર્વાદ મેળવ્યા હતા..