મહુધા તાલુકાના મંગલપુર ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસ સંગઠન આવનાર ચૂંટણી અંગે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મહુધા મતવિસ્તાર માજી ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગ કોંગ્રેસ સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 કોંગ્રેસ દ્વારા આઠ મુદ્દાઓ જાહેર કરાયા છે.બેઠક માં મોંઘવારી ખેડૂતોના પ્રશ્નો,વીજળી,આરોગ્ય ,બેરોજગારી,શિક્ષણ વ્યવસ્થા જેવા મુદ્દાઓ વિષે કાર્યકરો અને હોદેદારોને માહિતગાર કરાયા હતા અને કોંગ્રેસના આ આઠ વચનો ની પત્રિકાઓ ના વિતરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી .