ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની માગણીઓને લઈને આંદોલનો અને હડતાલો યથાવત છે, તો હવે ગુજરાતના જીઆઇએસએફ સિક્ય્રિટી ગાર્ડ પણ પોતાના પગારને લઈ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં 23 ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે કેજરીવાલની જનસભામાં સિક્ય્રિટી ગાર્ડમાવજીભાઈ સરવૈયાએ પોતાની જનવેદના તેમના સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ માવજીભાઈ સરવૈયાની અંબાજી ખાતે બદલી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે આજે તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના ઓર્ડરમાં માત્ર એટલું લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તમારી બદલી કરવામાં આવી છે, ભાવનગરથી અંબાજી બદલી કરવામાં આવતા તેમના ખર્ચાઓ પણ વધવા પામશે. લગભગ 400 દૂરથી તેમની બદલી કરાઈ છે. જો કે વેતન વધારાને લઈને સિક્ય્રિટી ગાર્ડ લોકો આંદોલન કરવાનું વિચારી રહ્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું. જીઆઇએસએફના સિક્ય્રિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20થી 25 વર્ષોથી જીઆઇએસએફમાં સિક્યરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ. અમને મહિનામાં વેતન તરીકે 11 હજાર રૂપિયા આપવામા આવતું હોય છે. પણ હજી સુધી 23 વર્ષ થયા હોવા છતાં પગાર વધારવામાં ન આવતા સરકાર સમક્ષ અમે આંદોલનનું વિચારી રહ્યા છીએ. તો સાથે ભાવનગરમાં કેજરીવાલના જન સંવાદમાં અમારા દ્વારા કરેલી રજૂઆતના કારણે સરકાર અને જીઆઈએસએફના સી.ઓ. દ્રારા મારી બદલી ભાવનગરથી અંબાજી ખાતે કરવામાં આવી છે. તો શું આ ન્યાય આપવાના બદલે આ રીતનો દંડ અમને કરવામાં આવશે તેવુ જીઆઈએસએફના જવાન માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Ranbhoomi: किसानों ने Delhi कूच पर फिलहाल रोक लगाई | Farmers Protest | Noida | Delhi | Aaj Tak News 
 
                      Ranbhoomi: किसानों ने Delhi कूच पर फिलहाल रोक लगाई | Farmers Protest | Noida | Delhi | Aaj Tak News
                  
   तमिलनाडु में जहरीली शराब त्रासदी में मरने वालों की संख्या बढ़कर 59 हुई, 156 लोगों का चल रहा इलाज 
 
                      तमिलनाडु में कल्लाकुरिची जहरीली शराब त्रासदी में मरने वालों की संख्या बढ़कर 59 हो गई है. अब तक,...
                  
   पत्नी या माता-पिता...शहीद जवान की पेंशन पर किसका अधिकार? संसद में सरकार ने किया साफ 
 
                      देश की सेना में ड्यूटी के दौरान शहीद हुए जवानों की फैमिली में पेंशन किसे मिले? कांग्रेस सांसद...
                  
   ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું 
 
                      ઝારખંડ ના જમશેદપુર ખાતે બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ 2022...
                  
   
  
  
  
  