ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની માગણીઓને લઈને આંદોલનો અને હડતાલો યથાવત છે, તો હવે ગુજરાતના જીઆઇએસએફ સિક્ય્રિટી ગાર્ડ પણ પોતાના પગારને લઈ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં 23 ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે કેજરીવાલની જનસભામાં સિક્ય્રિટી ગાર્ડમાવજીભાઈ સરવૈયાએ પોતાની જનવેદના તેમના સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ માવજીભાઈ સરવૈયાની અંબાજી ખાતે બદલી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે આજે તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના ઓર્ડરમાં માત્ર એટલું લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તમારી બદલી કરવામાં આવી છે, ભાવનગરથી અંબાજી બદલી કરવામાં આવતા તેમના ખર્ચાઓ પણ વધવા પામશે. લગભગ 400 દૂરથી તેમની બદલી કરાઈ છે. જો કે વેતન વધારાને લઈને સિક્ય્રિટી ગાર્ડ લોકો આંદોલન કરવાનું વિચારી રહ્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું. જીઆઇએસએફના સિક્ય્રિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20થી 25 વર્ષોથી જીઆઇએસએફમાં સિક્યરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ. અમને મહિનામાં વેતન તરીકે 11 હજાર રૂપિયા આપવામા આવતું હોય છે. પણ હજી સુધી 23 વર્ષ થયા હોવા છતાં પગાર વધારવામાં ન આવતા સરકાર સમક્ષ અમે આંદોલનનું વિચારી રહ્યા છીએ. તો સાથે ભાવનગરમાં કેજરીવાલના જન સંવાદમાં અમારા દ્વારા કરેલી રજૂઆતના કારણે સરકાર અને જીઆઈએસએફના સી.ઓ. દ્રારા મારી બદલી ભાવનગરથી અંબાજી ખાતે કરવામાં આવી છે. તો શું આ ન્યાય આપવાના બદલે આ રીતનો દંડ અમને કરવામાં આવશે તેવુ જીઆઈએસએફના જવાન માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Russian spacecraft crashes into the Moon - BBC News
Russian spacecraft crashes into the Moon - BBC News
Chhattisgarh Election 2023 : खैरागढ़ की जनता ने बताया किसे चुनेगी अपना CM ? Election 2023। N18V
Chhattisgarh Election 2023 : खैरागढ़ की जनता ने बताया किसे चुनेगी अपना CM ? Election 2023। N18V
પંજાબના રોડ પર પોલીસે દોડતી કાર પર ગોળીબાર કર્યો
પંજાબના ફિરોઝપુરમાં પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં બે યુવકોની ધરપકડ કરી છે. નાકાને અવગણીને બંને યુવકોએ...
આજે કોનો જન્મદિવસ છે, જાણો કેવું રહેશે આવનારું વર્ષ
આજે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 31 ઓગસ્ટે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે, જેનો સ્વામી રાહુ...
अशोक गहलोत जल्द ही नामांकन दाखिल करेंगे, कहा- राहुल गांधी अपनी बात पर हैं कायम
कांग्रेस अध्यक्ष चुनाव को लेकर अब स्थितियां साफ होती दिख रही हैं. राजस्थान के सीएम अशोक गहलोत का...