વઢવાણ ઝોન વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે સમ્પોની સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના 20થી વધુ સમ્પની સાફસફાઇ કરવામાં આવનાર હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોના લોકોને દર ત્રીજા દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વઢવાણ ઝોનમાં અંદાજે 9 એમએલડી તેમજ સુરેન્દ્રનગર ઝોનમાં અંદાજે 14 એમએલડી પાણી ફાળવામાં આવે છે. આ પાણીનું વિતરણ 5, 10, 20 અને 40 લાખ લીટરની કેપીસીટી ધરાવતા અંદાજે 20 જેટલા સમ્પમાંથી પાલિકા દ્વારા કરાઇ રહ્યું છે. તો બીજી તરફ નળવાટે હજુ પણ લોકોને અશુદ્ધ પાણી મળતું હોવાની રાવ ઊઠી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય અને ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાની સૂચનાથી શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે માટે સિવિલ એન્જિનિયર કે.જી. હેરમા, વઢવાણ ઝોનના એન્જિનિયર કુલદીપભાઈ પરમાર સહિતની ટીમોએ શહેરમાં આવેલા 20 જેટલા પાણીના સમ્પ તેમજ ટાંકીઓની સાફસફાઇની કામગીરી અમદાવાદની એક એજન્સી દ્વારા તા. 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી.ત્યારે રવિવારે પણ વઢવાણ ધોળીપોળે આવેલા 10 લાખ લીટરના પાણીના 2 સમ્પની સફાઇ કરાઇ હતી. જેમાં પોટેશિયમ પરમેગેનેટ દવા તેમજ અલ્ટ્રાવાયોલેટ રેડિયશન દ્વારા સમ્પોનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આમ તમામ સમ્પોની સાફસફાઇ પૂર્ણ થતા આગામી દિવસોમાં શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 6 એપ્રિલ ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી...
आगरा और आसपास के शहरों में देर रात से भारी बारिश, जगह-जगह हुआ जलभराव, कई जगह सड़क धसी
आगरा: आगरा सहित आसपास के जिलों में बुधवार रात से तेज बारिश हो रही है। लगातार बारिश होने से कई जगह...
IDBI Bank के प्राइवेटाइजेशन का रास्ता साफ! सरकार और LIC मिलकर बेचेंगे 60.72 फीसदी हिस्सेदारी
नई दिल्ली. आईडीबीआई बैंक (IDBI Bank) के प्राइवेटाइजेशन का रास्ता साफ हो गया है. दरअसल, सरकार और...
आयुष्मान भारत मिशन महाराष्ट्र समितीची आज बैठक
बीड,दि.28 (जिमाका) : आयुष्मान भारत मिशन महाराष्ट्र समितीची आज शुक्रवारी बैठक होणार असून ही बैठक...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ' ವತಿಯಿಂದ ರಾಜ್ಯಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 2, 2025
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ'...