વઢવાણ ઝોન વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે સમ્પોની સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના 20થી વધુ સમ્પની સાફસફાઇ કરવામાં આવનાર હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોના લોકોને દર ત્રીજા દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વઢવાણ ઝોનમાં અંદાજે 9 એમએલડી તેમજ સુરેન્દ્રનગર ઝોનમાં અંદાજે 14 એમએલડી પાણી ફાળવામાં આવે છે. આ પાણીનું વિતરણ 5, 10, 20 અને 40 લાખ લીટરની કેપીસીટી ધરાવતા અંદાજે 20 જેટલા સમ્પમાંથી પાલિકા દ્વારા કરાઇ રહ્યું છે. તો બીજી તરફ નળવાટે હજુ પણ લોકોને અશુદ્ધ પાણી મળતું હોવાની રાવ ઊઠી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય અને ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાની સૂચનાથી શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે માટે સિવિલ એન્જિનિયર કે.જી. હેરમા, વઢવાણ ઝોનના એન્જિનિયર કુલદીપભાઈ પરમાર સહિતની ટીમોએ શહેરમાં આવેલા 20 જેટલા પાણીના સમ્પ તેમજ ટાંકીઓની સાફસફાઇની કામગીરી અમદાવાદની એક એજન્સી દ્વારા તા. 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી.ત્યારે રવિવારે પણ વઢવાણ ધોળીપોળે આવેલા 10 લાખ લીટરના પાણીના 2 સમ્પની સફાઇ કરાઇ હતી. જેમાં પોટેશિયમ પરમેગેનેટ દવા તેમજ અલ્ટ્રાવાયોલેટ રેડિયશન દ્વારા સમ્પોનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આમ તમામ સમ્પોની સાફસફાઇ પૂર્ણ થતા આગામી દિવસોમાં શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી ખાતે આહીર એકતા મંચ આયોજિત શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી
આહીર એકતા મંચ ધારી ધારી તાલુકા આહીર સમાજ દ્વારા આહીર સોર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી આ તકે ધારી...
সোণাৰিৰ ড্ৰীমছ জ'ন আইএএছৰ নতুন শ্ৰেণী শুভাৰম্ভ অনুষ্ঠান
UPSC আৰু APSC পৰীক্ষাত অৱতীৰ্ণ হ'ব বিচৰা ছাত্ৰ-ছাত্ৰী সকলৰ বাবে এতিয়া আৰু চিন্তাৰ কাৰণ নাই।...
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઇસુદાન ગઢવી પ્રવીણ રામ જગમાલ વાળાએ સોમનાથ મંદિરના દર્શન કર્યા
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઇસુદાન ગઢવી પ્રવીણ રામ જગમાલ વાળાએ સોમનાથ મંદિરના દર્શન કર્યા
प्रदूषण के कारण राजस्थान के स्कूलों में छुट्टी:बीकानेर, खैरथल और करौली में 300 के पार पहुंचा AQI
बढ़ते प्रदूषण को देखते हुए खैरथल-तिजारा जिले के सरकारी और प्राइवेट स्कूलों में छुट्टी कर दी...
अंबाजी : PM मोदी के स्वागत में सड़क के दोनों और उमड़े लोग, PM ने लोगो का अभिवादन किया.. Video
अंबाजी : PM मोदी के स्वागत में सड़क के दोनों और उमड़े लोग, PM ने लोगो का अभिवादन किया.. Video