વઢવાણ ઝોન વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે સમ્પોની સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના 20થી વધુ સમ્પની સાફસફાઇ કરવામાં આવનાર હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોના લોકોને દર ત્રીજા દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વઢવાણ ઝોનમાં અંદાજે 9 એમએલડી તેમજ સુરેન્દ્રનગર ઝોનમાં અંદાજે 14 એમએલડી પાણી ફાળવામાં આવે છે. આ પાણીનું વિતરણ 5, 10, 20 અને 40 લાખ લીટરની કેપીસીટી ધરાવતા અંદાજે 20 જેટલા સમ્પમાંથી પાલિકા દ્વારા કરાઇ રહ્યું છે. તો બીજી તરફ નળવાટે હજુ પણ લોકોને અશુદ્ધ પાણી મળતું હોવાની રાવ ઊઠી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય અને ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાની સૂચનાથી શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે માટે સિવિલ એન્જિનિયર કે.જી. હેરમા, વઢવાણ ઝોનના એન્જિનિયર કુલદીપભાઈ પરમાર સહિતની ટીમોએ શહેરમાં આવેલા 20 જેટલા પાણીના સમ્પ તેમજ ટાંકીઓની સાફસફાઇની કામગીરી અમદાવાદની એક એજન્સી દ્વારા તા. 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી.ત્યારે રવિવારે પણ વઢવાણ ધોળીપોળે આવેલા 10 લાખ લીટરના પાણીના 2 સમ્પની સફાઇ કરાઇ હતી. જેમાં પોટેશિયમ પરમેગેનેટ દવા તેમજ અલ્ટ્રાવાયોલેટ રેડિયશન દ્વારા સમ્પોનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આમ તમામ સમ્પોની સાફસફાઇ પૂર્ણ થતા આગામી દિવસોમાં શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિઓદર દોશી પરિવારના ભીલડીયાજી તીર્થના છ'રિ પાલિત સંઘમાં દીઓદર નગરે પૂજ્ય આચાર્ય ભગવંતોનો ભવ્ય સામૈયા સહ પ્રવેશ
દિઓદર દોશી પરિવારના ભીલડીયાજી તીર્થના છ'રિ પાલિત સંઘમાં દીઓદર નગરે પૂજ્ય આચાર્ય ભગવંતોનો ભવ્ય...
বিশ্বামিত্রৰ দুদান্ত অভিনয়ে মুহিলে দৰ্শকৰ মন
বিশ্বামিত্রৰ দুদান্ত অভিনয়ে মুহিলে দৰ্শকৰ মন
RE Bullet 350 vs Honda H'ness CB350: प्राइस, फीचर्स और परफॉरमेंस के मामले में कौन सबसे बेहतर?
RE Bullet 350 vs Honda Hness CB350 रॉयल एनफील्ड बुलेट 350 में 349 सीसी सिंगल-सिलेंडर एयर-कूल्ड...
પર્યુષણ મહાપર્વ ના પારણાં પ્રસંગે જૈન સમાજના તમામ તપસ્વીઓની શોભાયાત્રા
પર્યુષણ મહાપર્વ ના પારણાં પ્રસંગે જૈન સમાજના તમામ તપસ્વીઓની શોભાયાત્રા
સેવાલિયા મામલતદાર કચેરીમાં પીવાના પાણીનું કુલર શોભાના ગાંઠિયા સમાન, તકેદારી ના રખાતા કુલર બંધ હાલતમાં...
ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં આવતા પ્રજાજનો માટે પીવાના પાણી...