આજ રોજ લાખણી મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ લાખણી તાલુકા દ્વારા અનંતશ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જગદગુરુ શંકરાચાર્ય સનાતન હિન્દૂ ધર્મના સર્વોચ્ચ આચાર્ય છે,ગુરુઓ ના પણ ગુરુ છે. મહારાજશ્રી: એ મહા પ્રયાણ કર્યું જે અંતર્ગત આજે શ્રી જકેશ્વર મહાદેવ મંદિર,લાખણી માં પૂજ્યશ્રીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

જેમાં બ્રહ્મ સમાજના અગ્રણી અને લાખણી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખશ્રી મહેશભાઈ દવે અને શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પરમધર્મ સભાના દિયોદર વિધાનસભાના ધર્માધાયકશ્રી બિપીનભાઈ દવે એ શંકરાચાર્ય પરંપરા અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા થયેલ ધર્મકાર્યો અને રાષ્ટ્રસેવાના વિષય માં ચર્ચાઓ કરી - સનાતન ધર્મ માં શંકરાચાર્ય પીઠનું વિશેષ મહત્વ શું છે તે બાબત થી અવગત કરાવ્યા હતા.

આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ઉત્તર ઝોન ના યુવા મહામંત્રીશ્રી શ્રવણભાઈ દવે, સમસ્ત બ્રહ્મ સમાજ લાખણી તાલુકાના પ્રમુખશ્રી સુરેશભાઈ જોષી, મહામંત્રીશ્રી દિલીપભાઈ દવે, શ્રી ઈશ્વરભાઈ જોષી, યુવા પ્રમુખશ્રી હીરાભાઈ પુરોહિત,યુવા ઉપ પ્રમુખશ્રી અમરતભાઈ જોષી, યુવા મહામંત્રીશ્રી ભગવાનભાઇ જોષી, ખજાનચી શ્રી પ્રહલાદભાઈ પુરોહિત, જસરા સ્કૂલ ના આચાર્ય શ્રી મનોજભાઈ દવે શ્રી ભોળારામભાઈ જોષી, શ્રી વશરામભાઇ જોષી, શ્રી વસંતભાઈ પુરોહિત, શ્રી રમેશભાઈ જોષી સહિત સનાતન ધર્મપ્રેમીઓએ ઉપસ્થિત રહી ધૂન કીર્તન (શ્રી રામ જય રામ જય જય રામ) કરી મહારાજશ્રી: ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.