પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધકપકડને લઈને અર્બુદા સેનામાં રોષ ભભૂકી ઊઠ્યો છે. ગઇકાલે મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આજે અર્બુદા સેના દ્વારા મહેસાણાના હીરવાણી અને ખરસડા ગામે બહિષ્કારનાં તથા ભાજપના નેતાઓને પ્રવેશવાના પ્રતિબંધનાં બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે.