ધંધુકા-બગોદરા હાઈવે ઉપર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રક અને કાર સામસામે ભટકાતા થયેલો અકસ્માત એટલો ભયાવહ હતો કે કારના કુરચે કુરચા ઉડી ગયા હતા. અને સવાર 2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નિપજ્યાં છે.અકસ્માત થયેલી મારુતિ સુઝીકી ડિઝાયર કારનો નંબર GJ01RD2404 છે. મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતા જ આસપાસના રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ પહેલા પોલીસને જાણ કરી 108ને પણ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. પણ ઘટના એટલી ભયંકર હતી કે કાર અને ટ્રક સામ સામે ટકરાતાં કારનું બોનેટ ટ્રકની અંદર ઘૂસી ગયું હતું. પોલીસે હાલ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી રહી છે.