ખંભાતના યુવકે આણંદ ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું ! 

ખંભાત મેતપુર રોડ પર આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષીય જીતેન્દ્ર ખારવાએ આણંદમાં સૂર્યા હોટલની બાજુમાં આવેલ બાપાશ ગેસ્ટ હાઉસની રૂમમાં અગમ્ય કારણોસર પંખે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળની કારણની દિશાએ પૂછપરછ હાથ ધરી છે.જો કે મળતી માહિતીનુસાર, યુવકે આપઘાત પૂર્વે તેના સાળા હેમંતને રાત્રિએ ફોન પર કોલ કરી 'હું રાજીખુશીથી મરી જાઉં છું' તમે કહેતા સાળાએ પણ આવું ન કરાય તેવું સમજાવ્યું હતું.નોંધનીય છે યુવક અવારનવાર પરિવારજનોને મરી જવાની ધમકી આપતો હતો તેવું જાણવા મળ્યું છે.યુવકના મૃતદેહને પી.એમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.અને મૃતક યુવકની સાંજના સુમારે સ્મશાનવિધિ કરાઈ હતી.હાલ ખારવા સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.