કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જન જાતિમાં અન્ય ૧૨ જ્ઞાતિને સમાવતા નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ.

કેન્દ્ર સરકાર દ્વારા તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ૧૨ જેટલી જ્ઞાતિઓને અનુસૂચિત જન જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો જેનો નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરાયો છે અને જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવાની આગેવાનીમા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ તથા આદીવાસી સમાજના યુવાનો સાથે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આગામી સમયમા આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ તથા કૉંગ્રેસના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે જેની જવાબદારી ભાજપ સરકાર તથા સરકારી તંત્રની રહેશે તેમ જણાવ્યું છે