આંગણવાડી વર્કર-હેલ્પરનાં માનદ વેતન વધારા સહીતનાં પડતર પ્રાણ પ્રશ્નો અંગે નિર્ણય કરવા માટે કરી રજુઆત.

આવેદનપત્ર માં જણાવ્યા મુજબ આંગણવાડી વર્કર– હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મુકવા માટે સતત કામગીરી બજાવે છે. અને છેલ્લા ત્રણ ચાર માસમાં મુખ્યમંત્રી શ્રી, માતૃત્વ યોજનાં (સુપોષીત માતા સ્વચ્છ બાળક) યોજનાની કામગીરી દિવસ રાત જોયા વિના રજાઓ ભોગવ્યા વિના લાંબા સમયથી કામગીરી કરેલ છે.

અન્ય કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ રાજય સરકાર લાવી રહી છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા વિનંતિ છે. પ્રશ્નો અને માંગણીઓ વિગતવાર રીતે, મંત્રીશ્રી, કક્ષાએ તથા સચિવશ્રી કક્ષાએ આપની સમક્ષ અગાઉ રજુ કરવામાં આવેલ છે. પરંતુ તે બાબતે કોઈજ ઉકેલ લાવવામાં આવેલ નથી.

*મૂખ્ય માંગણીઓ :*

*(૧)* અમારી માંગણી સરકારી નોકરીયાતને મળતા લઘુતમ વેતન આપવાની છે. પરંતુ તે દરમ્યાન વચગાળાનીરાહત રૂપે વર્કરને મળતા ₹૭,૮૦૦/- માં વધારો કરી. ₹૧૨,૦૦૦/- કરવા તથા હેલ્પરને મળતા ₹૩૯૦૦/- માં વધારો કરી ₹૭,૫૦૦/- કરવા વિનંતિ છે. દિલ્હી આપ સરકાર ₹૧૧,૫૦૦/- આપે છે. અને હરિયાણા બી.જે.પી. સરકાર ₹૧૧,૦૦૦/-તથા ₹૧૫૦૦/- ૨૦૨૨ નો વધારો જાહેર કરેલ છે. મધ્ય પ્રદેશ સરકાર સહિત ૧૧ રાજયની સરકારો ₹૧૧૦૦૦/- વધુ આપે છે.

*(૨)* ૨૦૧૯ માં આપેલ મોબાઈલ- ચાલતા જ ન હોઈ સારી કંપની- કવોલીટીનાં મોબાઈલ આપવામાં આવે (ઉત્તર પ્રદેશ સરકારે ગેલેકસી મોબાઈલ આપેલ છે) 

*(૩)* તમામ રાજયોમાં નિવૃત્તિ વય મર્યાદા ૬૦ થી ઉપર છે. ગુજરાતમાં ૫૮ છે જે ૬૦ કરવામાં આવે.

*(૪)* સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુજબ ગ્રેચ્યુઈટીની રકમ તાકીદે ચૂકવવામાં આવે તથા પેન્શન-પ્રો.ફંડ યોજના લાગુ કરો.

 *(૫)* બાળકો કુપોષિત માતાના આહાર માટેની ફાળવાતી રકમ વર્તમાન મોંઘવારીનાં પ્રમાણમાં વધારો કરવો.

*(૬)* ' પોષણ સુધા ' યોજનામાં લાભાર્થી- સગર્ભા માતાનાં પૂર્ણ ભોજન માટે માત્ર ₹૨૭ જેવી મશ્કરીરૂપ રકમમાં વધારો કરી ₹ ૮૦/- કરવા 

*(૭)* પોષણ ટેકર તથા રોજીંદા ફોટો મોકલવા અને કાર્યક્રમોના કારણે પોષણની કામગીરી તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર અવળી અસર પડતી હોઈને તે અંગે ફેર વિચારણા કરવામાં આવે.

 *(૮)* વર્કરમાંથી સુપરવાઈઝરનું અને હેલ્પરમાંથી વર્કર તરીકે પ્રમોશન ૫૦ % જગ્યા ઉપર આપવાના કેન્દ્ર સરકારના પરિપત્રનો તાત્કાલીક અમલ કરો અને પ્રમોશનો આપો.

ઉપરોક્ત જણાવ્યા મુજબ અમારી તમામ માંગણીઓ આપ સાહેબ શ્રી ધ્યાને લઈ તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી છે,જો સરકારશ્રી દ્વારા અમારી માંગણીઓ પ્રશ્નો ઉકેલવા તેમજ નિર્ણય નહિ લેવામાં આવે તો આવનાર દિવસોમાં અમો તમામ આંગણવાડી વર્કર-હેલપર આવનાર વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરીશું જે તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે જેની નોંધ લેવી તેવુ ફતેપુરા તાલુકાની આંગણવાડી ની વર્કરો અને હેલ્પરો એ જણાવ્યું છે