ચૂંટણી પંચ ની સૂચના મુજબ વઢવાણ તાલુકાના વિવિધ મતદાન મથકોએ EVM-VVPAT ના નિદર્શન અને તાલીમ આપવા માટે અલગ અલગ કર્મચારીશ્રી ના હુકમ કરવામાં આવેલ છે.જે મુજબ કોઠારિયા અને દેદાદરા ગામે વધુ માં વધુ લોકો જાગૃત થઇ મતદાન કરે તેની જાણકારી આપવામાં આવી.જેમાં બહુ ચર્ચિત કમલેશભાઈ (કમો )કોઠારીયા ને પણ ખાસ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.