ભુજ, બુધવારઃ

કચ્‍છ જિલ્‍લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેકશનલાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોનેટી.વી.કેબલ/ઈન્‍ટરનેટ કનેકશન આપવામાં આવે છે. બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્‍યંત જોખમી છે. ભૂતકાળમાં પણ કારણે ઘણા અકસ્‍માતના બનાવો બનેલ છે. જેમાં માનવ મૃત્‍યુના બનાવો પણ નોંધાયેલ છે. આમ જાહેરજનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્‍ટરનેટનાકેબલ દુર કરવા અત્‍યંત જરૂરી છે.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ના કાયદાનીકલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, જિલ્‍લામાં કોઇપણ ટીવી કેબલ ઓપરેટરો પી.જી.વી.સી.એલ.નાઈલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી પ્રસ્‍થાપિત કરેલ હોય તો તે દુર કરવા અને કોઇએ નવાપ્રસ્‍થાપિત કરવા નહીં. તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દુર કરાયેલ ટીવી કેબલ પી.જી.વી.સી.એલ.ના નેટવર્ક પર પુનઃપ્રસ્‍થાપિતકરવા નહીં.

હુકમ તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કરનાર વ્‍યકિત સામે ભારતીયદંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.