ગાંધીનગરમાં બનેલી ઘટનાની નિવૃત જજ પાસે તપાસ

કરાવવામાં આવે

ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન દરમિયાન એક માજી સૈનિકનું

મોત થતા ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. આજે જૂનાગઢ

આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવી માજી

સૈનિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે.

ગઈકાલે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન દરમિયાન કાનજીભાઈ

મોથલિયા નામના માજી સૈનિકનું મોત થતા તેમના

પરિવારજનોને સહાય ચૂકવવાની માગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, એક સમયે

દેશની રક્ષા કરનારા માજી સૈનિકોએ પોતાના હક્ક માટે રસ્તા

પર ઉતરવું પડે તે દુઃખદ બાબત છે. સરકાર વહેલીતકે માજી

સૈનિકોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવે. જો આગામી દિવસોમાં

માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી

માજી સૈનિકોની સાથે રહી લડત આપશે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ