સિહોરના સુરકાના દરવાજા વિસ્તારની ખરાબ રોડની હાલતને લઈ શંખનાદ દ્વારા છેલ્લા બે દિવસ થી સતત લોકોની વચ્ચે જઈને લોકો સુધી નિર્ભય રીતે સમસ્યા પહોંચાડવાનું કામ કર્યું છે જેની વચ્ચે સિહોર માટે સૌથી મોટા સમાચાર મળી છે કે નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે મોટી જાહેરાત કરી છે કે સુરકાના દરવાજા શી1.5 કિમીના રોડ માટે1.60 કરોડ જેવી રકમ તાત્કાલિક ફાળવી છે અને વિક્રમભાઈ નકુમે ત્યાં સુધી કહ્યુકે પરમ દિવસ ગુરૂવારે ખાતમુહૂર્ત થશે અને તે દિવસથી રોડ બનાવવાના કામનો પ્રારંભ થશે આમ પણ વિક્રમભાઈ નકુમે જ્યારથી પ્રમુખનો તાજ સંભાળ્યો છે ત્યારથી શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ માટે પ્રથમ પ્રાધ્યાય મળ્યું છે, પાણી, ભુગર્ભગટર, રસ્તા, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિત પણે મળે તે દિશામાં અવિરત ગંભીરતાથી પ્રયાસો કર્યા છે ત્યારે સુરકાના દરવાજાથી 1.5 કિમીના રોડ માટે 1.60 કરોડ જેવી તાત્કાલિક રકમ ફાળવી છે અને જેનું પરમ દિવસે ખાતમુહૂર્ત પણ ઉચ્ચ અધિકારી અને નેતાઓની હાજરીમાં થનાર છે અહીં વિકાસનું વધુ એક મોરપીંછ ઉમેરાયું છે વિક્રમ નકુમે પ્રજાલક્ષી કામને બિરદાવ્યું છે પરમ દિવસે ખાતમુહર્ત અને તે દિવસથી જ કામ રાટે, પ્રજાના જનનાયક વિંકમભાઇ નકુમનો પ્રજાલક્ષી મોટો નિર્ણય,