ભુજ તાલુકાના માધાપર ગામે ગત મહિનાના અંતિમ અઠવાડિયામાં બનેલા રબારી સમાજના 20 વર્ષની વયના યુવાન પરેશ રાણા રબારીની હત્યાના બનાવ સંદર્ભે અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના હોદેદારો અને અગ્રણીઓએ રાજયના ગૃહમંત્રીને રૂબરૂ મળી વિસ્તૃત રજુઆત કરી હતી. આ પ્રકરણમાં પકડાયેલો આરોપી તો માત્ર પ્યાદા સમાન હોવાનું જણાવી તેને આ હત્યા માટે ઉશ્કેરણી કરનારા અને મદદ કરનારા સામે પણ યોગ્ય કાયદાકીય પગલાં લેવા સહિતની માગણી આ રજુઆતમાં કરાઇ હતી. અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના હોદેદારો અને આગેવાનો માધાપર ખૂનકેસ અન્વયે ગાંધીનગર ખાતે રાજયના ગૃહમંત્રીને રૂબરૂ મળ્યા હતા. સમાજ દ્વારા રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જિલ્લા કલેકટરને સંબોધીને લખાયેલું વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખૂનની ઘટના અને તે પછીની ઘટનાઓ ઉપરાંત અન્ય બાબતોને વણી લેવાઇ હતી.સમાજે આવેદનપત્રમાં કરેલી રજુઆત મુજબ હત્યાના કિસ્સા બાદ ધાર્મિક સ્થાનમાં તોડફોડ બાબતનો મુદો ખોટી રીતે ઉભો કરાયો છે અને તેમાં નિર્દોષ લોકોને ફસાવાઇ રહયા છે. આ અનુસંધાને સી.સી.ટી.વી. ફ્|ટેજના અભ્યાસ સાથે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરાય તો સત્ય વિગતો બહાર આવે તેમ છે. હત્યાની ઘટના પછવાડે જવાબદાર બતાવાયેલા બે જણનો નામજોગ ઉલ્લેખ કરીને સમાજે તેમની ભૂમિકાની તટસ્થ તપાસ ઉપર ભાર મુકયો હતો. તો બનાવ બાદ આરોપીને ચોકકસ નંબરની ગાડીમાં કોણે ભગાડવામાં મદદ કરી તેના સહિતના મુદાઓ ઉપર પણ પ્રકાશ પાડયો હતો. આવા જવાબદારોને પણ પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા ભારપૂર્વકની રજુઆત કરાઇ હતી. તો આરોપીઓ છટકી ન જાય તે માટે સાક્ષીઓના સી.આર.પી.સી. 164 મુજબ નિવેદન લેવાનું સુચન પણ કરાયું હતું. સાથેસાથે તોડફોડ બાબતે લખાવાયેલી ફરિયાદમાં નિર્દોષ લોકોના નામ કમી કરવા માગણી કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચમારિયા જય માં વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા અંબાજી પગપાળા સંઘ જવા માટે પ્રસ્થાન કર્યું
ચમારિયા જય માં વાઘેશ્વરી યુવક મંડળ દ્વારા અંબાજી પગપાળા સંઘ જવા માટે પ્રસ્થાન કર્યું
कांग्रेस जिलाध्यक्ष व ब्लॉक अध्यक्ष ने मृतकों के परिजनों को सांत्वना दी
सांगोद(बीएम राठौर). देहात जिला कांग्रेस कमेटी अध्यक्ष एवं ब्लॉक कांग्रेस कमेटी अध्यक्ष ने ग्राम...
ઉપલેટા : શ્રી ડુંગરેશ્ચર મહાદેવના પટાંગણમાં પંચધુણી તપસ્યા | SatyaNirbhay News Channel
ઉપલેટા : શ્રી ડુંગરેશ્ચર મહાદેવના પટાંગણમાં પંચધુણી તપસ્યા | SatyaNirbhay News Channel
રાજુલા શહેરમા પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જીવન જયોત કૌર દ્વારા શહેરના વેપારીઓને ગેરંટી કાર્ડ
રાજુલા શહેરમા પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જીવન જયોત કૌર દ્વારા શહેરના વેપારીઓને ગેરંટી કાર્ડ
BHAVNAGR : વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલી
BHAVNAGR : વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલી