ભુજ તાલુકાના માધાપર ગામે ગત મહિનાના અંતિમ અઠવાડિયામાં બનેલા રબારી સમાજના 20 વર્ષની વયના યુવાન પરેશ રાણા રબારીની હત્યાના બનાવ સંદર્ભે અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના હોદેદારો અને અગ્રણીઓએ રાજયના ગૃહમંત્રીને રૂબરૂ મળી વિસ્તૃત રજુઆત કરી હતી. આ પ્રકરણમાં પકડાયેલો આરોપી તો માત્ર પ્યાદા સમાન હોવાનું જણાવી તેને આ હત્યા માટે ઉશ્કેરણી કરનારા અને મદદ કરનારા સામે પણ યોગ્ય કાયદાકીય પગલાં લેવા સહિતની માગણી આ રજુઆતમાં કરાઇ હતી. અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજના હોદેદારો અને આગેવાનો માધાપર ખૂનકેસ અન્વયે ગાંધીનગર ખાતે રાજયના ગૃહમંત્રીને રૂબરૂ મળ્યા હતા. સમાજ દ્વારા રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જિલ્લા કલેકટરને સંબોધીને લખાયેલું વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખૂનની ઘટના અને તે પછીની ઘટનાઓ ઉપરાંત અન્ય બાબતોને વણી લેવાઇ હતી.સમાજે આવેદનપત્રમાં કરેલી રજુઆત મુજબ હત્યાના કિસ્સા બાદ ધાર્મિક સ્થાનમાં તોડફોડ બાબતનો મુદો ખોટી રીતે ઉભો કરાયો છે અને તેમાં નિર્દોષ લોકોને ફસાવાઇ રહયા છે. આ અનુસંધાને સી.સી.ટી.વી. ફ્|ટેજના અભ્યાસ સાથે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરાય તો સત્ય વિગતો બહાર આવે તેમ છે. હત્યાની ઘટના પછવાડે જવાબદાર બતાવાયેલા બે જણનો નામજોગ ઉલ્લેખ કરીને સમાજે તેમની ભૂમિકાની તટસ્થ તપાસ ઉપર ભાર મુકયો હતો. તો બનાવ બાદ આરોપીને ચોકકસ નંબરની ગાડીમાં કોણે ભગાડવામાં મદદ કરી તેના સહિતના મુદાઓ ઉપર પણ પ્રકાશ પાડયો હતો. આવા જવાબદારોને પણ પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા ભારપૂર્વકની રજુઆત કરાઇ હતી. તો આરોપીઓ છટકી ન જાય તે માટે સાક્ષીઓના સી.આર.પી.સી. 164 મુજબ નિવેદન લેવાનું સુચન પણ કરાયું હતું. સાથેસાથે તોડફોડ બાબતે લખાવાયેલી ફરિયાદમાં નિર્દોષ લોકોના નામ કમી કરવા માગણી કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ ની સભા માં શુ બોલ્યા અમિતભાઈ શાહ સાહેબ..
થરાદ ની સભા માં શુ બોલ્યા અમિતભાઈ શાહ સાહેબ..
Haryana में टूटेगा BJP-JJP का गठबंधन, CM पद से इस्तीफा देंगे Manohar Lal Khattar?
Haryana में टूटेगा BJP-JJP का गठबंधन, CM पद से इस्तीफा देंगे Manohar Lal Khattar?
Kia और Tata की गाड़ियों को भी खरीदना हो जाएगा महंगा, जान लें किस तारीख से होगा Price Hike
भारतीय बाजार में कई वाहन निर्माताओं की ओर से अपनी कारों को बिक्री के लिए उपलब्ध करवाया जाता...
વિજળી વિભાગમાં પરીક્ષા વગર મળી શકે છે નોકરી, અરજી કરવાની કાલે અંતિમ તારીખ
મધ્ય પ્રદેશ પાવર જનરેટીંગ કંપની લિમિટેડ (MPPGCL) માં નોકરી (સરકારી નોકરી) મેળવવાની સુવર્ણ તક છે,...
PM Modi Degree controversy: PM मोदी के समर्थन में उतरे NCP नेता अजित पवार, कहा- वास्तविक मुद्दों पर करें सवाल
राष्ट्रवादी कांग्रेस पार्टी (एनसीपी) के नेता अजीत पवार ने कहा है कि मंत्रियों की डिग्री पर...