ભુજ, વાહન (ટ્રક)ને અકસ્માત નડવાના 14 વર્ષ જૂના કિસ્સામાં ફરિયાદી ગ્રાહક અંજારના મોહનલાલ મોમાયા વનાવાની તરફે ચુકાદો આપતાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા વીમા કંપની નેશનલ ઇન્સ્યોરન્સ તેમને મોજણી અહેવાલ મુજબની વળતરની પૂરેપૂરી રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ કર્યો હતો.આ પ્રકરણમાં અકસ્માત બાદ વળતર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરી અરજી કરાયા પછીયે વીમા કંપનીએ કોઇ કાર્યવાહી ન કરતાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ કેસ લઇ જવાયો હતો. જિલ્લા ફોરમે ફરિયાદી તરફે ચુકાદો આપ્યા બાદ રાજ્ય કમિશન સમક્ષ વીમા કંપની ગઇ હતી. જ્યાં ફરિયાદ રિમાન્ડ કરવાનો આદેશ કરાયો હતો. આ પછી ફરિયાદીને નવો નંબર આપી જિલ્લા ફોરમ સમક્ષ કેસ ચાલ્યો હતો, જેમાં પણ ફરિયાદીની અરજી મંજૂર કરાઇ હતી. બાદમાં ફરીથી રાજ્ય કમિશન સમક્ષ બીજી વખત અપીલ કરાઇ હતી. જેમાં 90 દિવસમાં નિકાલનો હુકમ કરાયો હતો. આ બીજી વખતના રિમાન્ડ બાદ જિલ્લા કમિશને કેસ ચલાવીને ફરિયાદી તરફે આ ચુકાદો આપ્યો હતો.વીમા કંપની ફરિયાદીને વળતરની પૂરી રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જન્મ જયંતી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન...
શ્રી 42 ગામ બ્રહ્મ સમાજ વાવ થરાદ દિયોદર ડીસા તરફથી પરશુરામ જન્મજયંતિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ...
પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતાં પોલીસે ઝડપ્યો
ફરજ ન આવતી હોવા છતાં લાંચ માંગી હતી અરવિંદ દેસાઇ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પાલનપુર તાલુકા...
भीमगंजमंडी क्षेत्र के नेहरू नगर में पिता की हत्या करने वाला हत्यारा पुत्र गिरफ्तार
कोटा.
घर पर ही पीट पीट कर अपने ही पिता की हत्या करने की वारदात को अंजाम देने के मामले में पुलिस...
निशुल्क नेत्र जाँच व् ओप्रेशन परामर्श शिविर पेंशनर्स का , होगा कैशलेस मोतियाबिंद ऑपरेशन।
बूंदी में राज्य कर्मचारियों पेंशनर्स तथा जरुरत मंद रोगियों व् पीड़ित मानवता की सेवा का ध्यान में...
વલભીપુર શહેરમાં આમ આદમી પાર્ટીના પંજાબના એમ.એલ.એ સાથે રહીને ઉમેદવાર રમેશભાઈ પરમારે જન સંપર્ક કર્યો
વલભીપુર શહેરમાં આમ આદમી પાર્ટીના પંજાબના એમ.એલ.એ સાથે રહીને ઉમેદવાર રમેશભાઈ પરમારે જન સંપર્ક કર્યો