ઘણા લાંબા સમય બાદ વડાપ્રધાન ભાવનગરમાં પ્રવશે આવશે. અને ભાવનગરના વિકાસના દ્વાર ખોલતા અનેક કર્યોનું લોકાર્પણ અને ખાતમુરત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ મી સપ્ટેમ્બરે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને ભાવનગરમાં પૂર્ણ થયેલા અને પ્રારંભ થવાના પ્રોજેક્ટોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ કરશે તેમ જાણવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ મી સપ્ટેમ્બર ના દિવસે ભાવનગરના પ્રવાસે છે ત્યારે ભાવનગરમાં નિર્માણ પામી ચૂકેલા એસટી બસ પોર્ટ નું લોકાર્પણ ઉપરાંત સીએનજી ટર્મિનલ નું ખાત મુહૂર્ત તથા કન્ટેનર હબ અને નિર્માણ પામી ચૂકેલા સાયન્સ સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવશે તદુપરાંત ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ મી સપ્ટેમ્બરે ભાવનગરમાં છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમમાંની તૈયારી હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને પગલે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.