ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.