પેટલાદમાં વક્રતુંડ ગ્રુપ દ્વારા "થનગનાટ 2022"નું આયોજન કરવામાં આવ્યું છે.અને જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે નગરપાલિકા મેદાન ખાતે સ્તંભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ સમયે ભાવિનભાઈ પટેલ (ભઈલું ), પ્રદીપભાઈ પટેલ સાથે નગરપાલિકાના હોદ્દેદારો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.