સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીનું રાજીનામું લઈ લેવાતા રાજકીય ગરમાવો : સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે સતત ચોથી ટર્મ જાળવી રાખનાર ડો . અનીરૂધ્ધસીંહ પઢીયારને પ્રદેશ કક્ષાએથી રાજીનામુ આપવા આદેશ થયો હતો . આથી તેઓએ રાજીનામુ આપી દીધુ છે . જિલ્લામાં છેલ્લી ૪ ટર્મથી સતત જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે રહેનાર ડો . અનીરૂધ્ધસીંહ પઢીયારને રાજીનામુ આપવા પ્રદેશકક્ષાએથી હુકમ થયો હતો . આથી તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને પોતાનુ રાજીનામુ સુપ્રત કર્યુ છે . ડો . અનીરૂસીંહ સૌરાષ્ટ્ર યુનિ.ના સીન્ડીકેટ મેમ્બર પણ છે , ત્યારે એક વ્યક્તિ એક હોદ્દોના નીયમ હેઠળ તેમની પાસેથી રાજીનામુ લઈ લેવાની વાત હાલ બહાર આવી રહી છે . અગાઉ જિલ્લા ભાજપ પ્રભારીને પણ બદલવામાં આવ્યા હતા , ત્યારે જિલ્લા મહામંત્રી પાસેથી રાજીનામુ લઈ તેમને બદલવાની વાત ફરી જિલ્લાના રાજકારણમાં ચર્ચાનું સ્થાન બની છે .

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા ૯૧૫૭૭૭૨૮૮૮