સુરેન્દ્રનગર: મૈત્રી વિદ્યાપીઠ સંચાલિત શ્રી સી.એચ.શાહ મહિલા બી.એડ્. કૉલેજ સુરેન્દ્રનગર ખાતે સંસ્કૃત વિષય અંતર્ગત વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય, ગાંધીનગર સંસ્કૃત બૉર્ડના અધ્યક્ષ જયશંકરભાઈ રાવલ, શિક્ષણવિદ્ ડૉ.કનુભાઈ કરકર તથા જિલ્લા સંયોજક પ્રકાશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ડૉ.જયશ્રીબેન દેસાઈએ સંસ્થાવતી સ્વાગત કરી પ્રસન્નતા વ્યક્ત કરી.ડૉ.કેતનભાઈ ગોહેલે શાબ્દિક સ્વાગત કરી મહેમાનોનો પરિચય આપ્યો હતો. જયશંકરભાઈ તથા ડૉ.કરકરે સંસ્કૃતનું મહત્ત્વ સમજાવી ખૂબ પ્રેરક વાતો કરી હતી.