રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত তৰ্ক, কুইজ আৰু ৰচনা প্ৰতিযোগিতা
মাজুলীৰ অগ্ৰণী উচ্চ শিক্ষানুষ্ঠান উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ৰ বৰ্ষজোৰা গৌৰৱোজ্বল সোণালী...
नाचणे पॉवर हाऊस येथे स्वछतागृह नसल्यामुळे लोकांची होतेय गैरसोय, BIO TOILET बसवण्याची पंकज पुसाळकर यांची मागणी
रत्नागिरी : विश्र्वनगर येथील राष्ट्रवादीचे सामाजिक कार्यकर्ते पंकज पुसाळकर यांनी लोक हिताचा विचार...
પાલીતાણા શેત્રુંજય પર્વત પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે હવન સહિત કાર્યક્રમ કરાયો
પાલીતાણા શેત્રુંજય પર્વત પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે હવન સહિત કાર્યક્રમ કરાયો