શહેરમાં દરિયાઇ દિશામાંથી પવન ફૂંકાતા બપોરે તાપમાનમાં 0.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે અને ચાર દિવસમાં શહેરમાં બપોરે તાપમાનમાં દોઢેક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે. પવનની દિશા બદલતાતા નગરજનોને અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર શહેરમાં આગામી બે દિવસ અતિ હળવાથી હળવા વરસાદની આગાહી કરાઈ છે.ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 0.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ચાર દિવસ અગાઉ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રીને આંબી ગયુ હતુ તે આતજે ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જો કે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.2 ડિગ્રી હતુ તે નજીવુ વધીને 25.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 73 ટકા હતુ તે આજે ઘટીને 60 ટકા થઇ ગયું હતુ. સાઉથ-વેસ્ટ દિશાથી 14 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. શહેરમાં લગભગ છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. છૂટા છવાયા ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. હવે સિઝન પૂરી થવાને આરે માંડ ત્રણ સપ્તાહ બાકી છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 30.7 ફૂટ થઇ બે દિવસમાં ધીમી ગતિએ ઉપરવાસમાંથી પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમની સપાટી જે અગાઉ 30.4 ફૂટ હતી તે ક્રમશ: વધીને 34.7 ફૂટ થઇ ગઇ હતી. આ ડેમમાં હાલ 273.7 મિલિયન ઘન મીટર થઇ ગઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhorgarh: Rajasthan election 2023- PM Modi ने Ashok Gehlot की सरकार पर उठाए कई सवाल | Hindi News
Chhorgarh: Rajasthan election 2023- PM Modi ने Ashok Gehlot की सरकार पर उठाए कई सवाल | Hindi News
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....
पुस धरणाच्या डॅमवर पर्यटकांचा मुक्त संचार सुरक्षा रक्षक तैनात नसल्यामुळे दुर्दैवी घटना घडण्याची शक्यता
पुसद तालुक्यातील पुस धरण यावर्षी लवकरच ओव्हरफ्लो झाल्यामुळे धरणाच्या सांडव्यावरुन मोठया प्रमाणात...
રેલ્વે બોર્ડના અધ્યક્ષ દ્વારા અમદાવાદ મંડળના ગાંધીનગર અને અમદાવાદ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ.
રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વી.કે.ત્રિપાઠી દ્વારા અમદાવાદ મંડળના...