સહકાર મેઈન રોડ પર સીટ કવરનાં ધંધાર્થી ધનાભાઈ આહિર પર તારો છોલ અહિં ઉડે છે. કહી બે વેપારીએ લાકડી અને પાઈપથી હુમલો કરતાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં. બનાવની વિગત અનુસાર, સહકાર મેઈન રોડ પર નારાયણનગરમાં રહેતા ધનાભાઈ ભગવાનજીભાઈ ગોગરા (આહિર) (ઉ.વ.61) ઘર પાસે આવેલ તેની સીટ કવરની દુકાને કામ કરતાં હતાં. ત્યારે તેની બાજુમાં મયુર એન્ટરપ્રાઈઝ નામનો ઈલેકટ્રીકસનો શો-રૂમ ધરાવતા મનસુખ જેઠવા સંદિપ જેઠવા નામના શખ્સોએ તારો માલ સામાનનો છોલ અહિં ઉડે છે. કહી ઝઘડો કરી પાઈપ અને ધોકાથી ફટકારતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્ત નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.