શહેરની ભાગોળે આવેલ કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ફંગોળાયેલા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે રહેતા તેના ફઈના ઘરે આંટો મારવા બાઈક લઈ ઘરેથી નિકળ્યો હતો. ત્યારે કાગદડી ગામ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને 108ને જાણ કરતા તબીબે તપાસીને યુવકને મૃત જાહેર કરતા પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમમાં અત્રેની સિવિલે ખસેડયો હતો. અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निमगाव महाळुंगे च्या महिला उपसरपंच पदाची धुरा हातात घेतल्यावर ग्रामदैवताचं आशीर्वाद घ्यायला हजर
निमगाव महाळुंगे च्या महिला उपसरपंच पदाची धुरा हातात घेतल्यावर ग्रामदैवताचं आशीर्वाद घ्यायला हजर
उडान सेवाभावी संस्थेच्या आरोग्य शिबीरात तीन हजार नागरीकांनी घेतला लाभ
परभणी: शहरातील उडान सेवाभावी संस्थेच्या वतीने ईद-ए-मिलादुंन्नबी निमित्त आरोग्य शिबीर घेण्यात आले....
তৰুণ চন্দ্ৰ পামেগামৰ প্ৰতিমূৰ্তি উন্মোচন
কবি , সাহিত্যিক, গল্পকাৰ , অসম সাহিত্য সভাৰ উপ সভাপতিৰ পদঅলংকৃত কৰা তৰুণ চন্দ্ৰ পামেগামৰ ৩৮...
દાંતીવાડા નજીક આવેલ રાણીટુંક પર્વતીય ડુંગરને લીલીછમ બનાવવા બનાસ મેડિકલ કોલેજ પરિવાર દ્વારા ૧૫૦૦૦
દાંતીવાડા નજીક આવેલ રાણીટુંક પર્વતીય ડુંગરને લીલીછમ બનાવવા બનાસ મેડિકલ કોલેજ પરિવાર દ્વારા ૧૫૦૦૦