શહેરની ભાગોળે આવેલ કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ફંગોળાયેલા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે રહેતા તેના ફઈના ઘરે આંટો મારવા બાઈક લઈ ઘરેથી નિકળ્યો હતો. ત્યારે કાગદડી ગામ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને 108ને જાણ કરતા તબીબે તપાસીને યુવકને મૃત જાહેર કરતા પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમમાં અત્રેની સિવિલે ખસેડયો હતો. અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મત ગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર અંદર કે આસપાસ પ્રતિબંધાત્મક વસ્તુઓ બાબતે જાહેરનામું
ગુજરાત વિધાનસભા સમાન્ય ચૂંટણી - ૨૦૨૨ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વિધાનસભા મતદાર વિભાગોની...
बारिश में करंट से कैसे बरतें सावधानी
ATM में करंट लगा, युवक पहुंचा अस्पताल: करंट लगने के बाद आ सकती है अंदरूनी चोट, रहता है अटैक का...
મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા મ્યુન્સીપલ કમિશ્નર ને રજુઆત કરવામાં આવી
મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા મ્યુન્સીપલ કમિશ્નર ને રજુઆત કરવામાં આવી
આતંકી દીપડાને પાંજરે પુરવા ને બદલે વન વિભાગ ના અધિકારી પાંજરા મા કેમ?શું કહે છે વન વિભાગ અધિકારી જુઓ
આતંકી દીપડાને પાંજરે પુરવા ને બદલે વન વિભાગ ના અધિકારી પાંજરા મા કેમ?શું કહે છે વન વિભાગ અધિકારી જુઓ