લીંબડીની મસ્જિદમાં ઉર્દૂનું શિક્ષણ આપતો રાણપુરનો શિક્ષક સગીરાને લલચાવી ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈમાં જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આ અંગે લીંબડી પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હવસખોરને આજીવન કેદની સજા ફટકારી હતી.લીંબડી શહેરની મસ્જિદમાં મુસ્લિમ સમાજના બાળકોને ઉર્દૂ ભાષાનું શિક્ષણ આપવામાં માટે રાણપુરના નૂરમહંમદ લીયાકતહુસેન સૈયદને રાખવામાં આવ્યો હતો. નૂરમહંમદ સૈયદ મસ્જિદ સિવાય લોકોના ઘરે જઈને પણ બાળકોને ઉર્દૂ શિખવતો હતો.તા.5 ઓક્ટોબર 2016ના રોજ નૂરમહંમદ 13 વર્ષ અને 4 માસની બાળકીને ફોસલાવી મુંબઈ ભગાડી ગયો હતો. મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં મકાન રાખી નૂરમહંમદે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ નૂરમહંમદ સામે લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લીંબડીની કોર્ટમાં કેસ ચાલી જતાં મદદનીશ સરકારી વકીલ કિરણભાઈ શાહે એવી દલીલો કરી હતી કે આરોપી પોતે 26 વર્ષનો છે જ્યારે સામે ભોગ બનનારની ઉંમર બાળકી જેવી જ છે. આટલું જ નહી પરંતુ તે બાળકીના ઘરે જઇને ધાર્મિક શિક્ષણ આપતો હતો.આ કેસમાં આરોપીને કડક સજા કરવી જઇએ તેવી દલીલો કરીને કેસને સમર્થન આપતા પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. જ્યારે સામે આરોપી પક્ષના વકીલે એવી દલીલો કરી હતી કે આરોપી લાંબા સમયથી જેલમાં છે. તેની આર્થિક સ્થિતિ નબળી છે, આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી, આ પહેલો જ ગુનો હોય તેના ઉપર રહેમ રાખીને ઓછી સજા કરવા અપીલ કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખી લીંબડી એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી નૂરમહંમદને આજીવન કેદની સજા ફટકારી હતી. ભોગ બનનારને રૂ.50 હજાર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનનો વિશાળ રોડ શો યોજાયો...
ડીસા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનનો વિશાળ રોડ શો યોજાયો...
રિપોર્ટ નીરજ બોરાણા...
In "Iss Holi," Manoj Bajpayee teases The Family Man Season 3. - Newzdaddy
The third season of The Family Man is being teased in a new video that Manoj Bajpayee posted on...
*જૂનાગઢના મહંતનો પોતાની જ વાડીમાં આપઘાત*
*જૂનાગઢ ભારતી આશ્રમના શિષ્ય અને મંદિરના મહંતે જાતે જ લમણામાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું*
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના...
नियमित लसीकरण सूक्ष्म नियोजनासाठी जिल्हास्तरीय कार्यशाळा संपन्न
परभणी(प्रतिनिधी)ग्रामीण भागातील नागरिकांचे आरोग्य अबाधित राहण्याच्या दृष्टीने जिल्ह्यातील नियमित...
देश में विपक्षी एकता की राह बहुत मुश्किल, कर्नाटक से लेकर दिल्ली तक; इन 14 राज्यों में दिखती है भाजपा की ताकत
नई दिल्ली। अगले लोकसभा चुनाव में भाजपा के सामने चुनौती पेश करने के लिए विपक्षी दल भले ही...