ડીસા શાકમાર્કેટ પાસેથી મળેલ લાશની હિન્દુ યુવા સંગઠન દ્વારા અંતિમવિધિ કરાઈ...

ડીસામાં ગઈકાલે મળેલી બિનવારસી લાશ ની આજે અંતિમ વિધિ કરાવી હતી. હિન્દુ યુવા સંગઠને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યા બાદ બિનવારસી લાશ ની શાસ્ત્રોકત વિધિ અનુસાર અંતિમ વિધિ કરી હતી

ડીસામાં ગઈકાલે માર્કેટ યાર્ડ સામેથી એક અજાણ્યા આધેડ ની બિનવાસી હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક પાલનપુર તાલુકાના વાસણી ગામનો માલસિંહજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તેના પરિવારજનો સંપર્ક કરતા તેમણે કોઈ રસ દાખવ્યો હતો. બાદમાં આજે પોલીસે હિન્દુ યુવા સંગઠન નો સંપર્ક કરી લાશની અંતિમ વિધિ કરાવી હતી . . .