ધી.સંતરામપુર કો.ઓ.બેન્ક લી. ની મેનેજીંગ કમિટીની ચૂંટણી તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરાના સભાસદોનુ મતદાન ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈ.સ્કૂલ ખાતે યોજાઈ હતી. અને તારીખ ૪/૦૯/૨૦૨૨ ના રોજ સંતરામપુર અને માલવણ ના સભાસદોની ચુંટણી સંતરામપુર તથા માલવણ ખાતે યોજાઈ હતી જેમાં ૭૫૨૩ સભાસદ માંથી ૨૮૬૫ સભાસદોએ મતદાન કર્યું હતું. સંતરામપુર શાખાનું ૧૯૯૦ નું મતદાન થયું હતું. જ્યારે માલવણ ખાતે ૨૭૭ અને ફતેપુરા ખાતે ૫૯૮નું મતદાન થયુ હતું. કુલ ૧૧ સભ્યો માટે સામાન્ય વિભાગમાં ૭ સભ્યો માટે ૯ ઉમેદવારો, ખેડૂત વિભાગ૧ સભ્ય માટે ૩ ઉમેદવારો, મહિલા વિભાગમાં ૨ સભ્યો માટે થી ૪ ઉમેદવારો, અને એસસી એસટી વિભાગમાં ૧ સભ્ય માટે ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેની મત ગણતરી ૫/૯/૨૨ ને સોમવારે સંતરામપુર અર્બન બેંકની હેડ ઓફીસમાં હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં   ફતેપુરા તાલુકાના એક માત્ર ઉમેદવાર શરદભાઈ ઉપાધ્યાય (વકીલ)એ સામાન્ય વિભાગમાં ચોથા નમ્બરે ૨૮૬૫ માંથી ૨૦૩૩ મત મેળવી ભવ્ય જીત મેળવી હતી. શરદભાઈ ની ભવ્ય જીત થતા ફતેપુરાના ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.