ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું થઈ ગયું હતું.

 ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું આજે રવિવારે મુંબઈ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલા આ અકસ્માત બાદ 54 વર્ષીય સાયરસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા,સાયરસની ગણતરી દેશના મોટા ઉદ્યોગપતિઓમાં થતી હતી. 

વિગતો મુજબ મુંબઈ નજીક પાલઘરમાં આ અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માત માં ગંભીર ઘાયલ થયેલા મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.ઉધોગપતિ સાયરસ મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે ટકરાતા સર્જાઈ હતી.

ઘટના સમયે તેમની મરસિડિઝકાર ખુબજ સ્પીડ માં હતી, તેમની કાર ડ્રાઇવર ચલાવી રહ્યો હતો, કારમાં ચાર લોકો સવાર હતા અને અકસ્માતમાં બેના મોત થઈ ગયા હતા.

પાલઘર પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા.આ અકસ્માત આજે રવિવારે બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો.