"આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત"

લઘુ ઉધોગ ભારતી કર્ણાવતી સંભાગ દ્વારા આયોજિત અમદાવાદ જિલ્લા ઉદ્યોગ માર્ગદર્શન સેમિનાર પ્રસંગે હાજરી આપી, લઘુ ઉદ્યોગ થકી રાષ્ટ્ર આત્મનિર્ભર બને અને ઉન્નતિના માર્ગે વધુ વેગવંતુ બને તે માટે ઉદ્યોગકારો સાથે સંવાદ સાધ્યો.

માન. પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જી ના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર હંમેશા ઉદ્યોગકારોની પડખે રહેવા માટે કટિબદ્ધ છે.

આ સેમિનારમાં અમરાઈવાડી ના ધારાસભ્યશ્રી જગદીશભાઈ પટેલ,લઘુ ઉધોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી બળદેવભાઈ પ્રજાપતિ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.