સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર લોકમેળાના બીજા દિવસે માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં થાનગઢના લોક સાહિત્યકાર શ્રી કિશોરદાન ગઢવી અને સાથી કલાકાર વૃંદ દ્વારા સાહિત્ય અને ભજનની સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જે સાંભળી વિશાળ જનમેદની રસ તરબોળ થઈ ગઈ હતી. શ્રી કિશોરદાન ગઢવીએ પાંચાળ પ્રદેશના તરણેતરમાં ત્રિનેત્રશ્વર ભગવાનના મહાત્મ્ય વિશે સાહિત્યિક રજૂઆત કરીને લોકોને આ સ્થળના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ લોકડાયરામાં રાજુભાઈ સાકરીયાએ લોકગીતોની રમઝટ બોલાવી હતી તેમજ કલાકાર સાગરભાઈ પ્રજાપતિએ ભગવાન શંકર, ભગવાન દ્વારકાધીશના ભજનો રજૂ કર્યા હતા. દેવિકાબેન મહેતાએ મા મોગલ, મા શક્તિની આરાધના કરતા ગીતો રજૂ કર્યા હતા. આ લોકડાયરામાં ઉસ્માન સંગીતની ટીમ દ્વારા સંગીતની વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ભવાઈ, ડાયરા, કથા-કિર્તન સહિતના પરંપરાગત સમૂહ માધ્યમના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ જન જાગૃત્તિની બાબતો, યોજનાકીય બાબતોનો ગ્રામ્ય સ્તરે અસરકારક પ્રચાર કરવા આ પ્રકારનાં કાર્યક્રમો અને સહાય આપવામાં આવે છે. તરણેતરના લોકમેળામાં પણ માહિતી વિભાગ દ્વારા પ્રતિ વર્ષ લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. આ લોકડાયરામાં માહિતી કચેરીના કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  অসমৰ বিশিষ্ট অভিনেতা প্ৰানজিত দাসৰ দেহাৱসান 
 
                      অসম মঞ্চ তথা বোলছবি জগতৰ বলিষ্ঠ অভিনেতা প্ৰানজিত দাসৰ আজি পূৱাই মৃত্যুৰ বাতৰি পোৱাৰ পিচতে...
                  
   Pranab Mukherjee: आज ही के दिन भारत के 13वें राष्ट्रपति चुने गए थे 'प्रणब दा', नाम पर दर्ज है यह खास उपलब्धि 
 
                      Pranab Mukherjee: 22 जुलाई 2012... इसी दिन कांग्रेस के वरिष्ठ नेता और कई बार केंद्रीय मंत्री...
                  
   बाप ने कर दी बेटे की हत्या, बेटी के पति और बच्चों के साथ दिया वारदात को अंजाम! MP News Sheopur 
 
                      बाप ने कर दी बेटे की हत्या, बेटी के पति और बच्चों के साथ दिया वारदात को अंजाम! MP News Sheopur
                  
   2024 Lok Sabha Election : सपा अध्यक्ष Akhilesh Yadav ने कुशीनगर की रैली में जो कहा जरूर सुनना चाहिए 
 
                      2024 Lok Sabha Election : सपा अध्यक्ष Akhilesh Yadav ने कुशीनगर की रैली में जो कहा जरूर सुनना चाहिए
                  
   શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી ખાતે રક્ષાબંધન પર્વ ની કરાઈ ઉજવણી 
 
                      શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સહયોગ વિદ્યામંદિર જસાલીમાં રક્ષાબંધનની...
                  
   
  
  
  
   
  