અમદાવાદ,તા.1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં  પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં વિવિધ સ્થળોએ સાર્વજનિક ગણેશઉત્સવના જન ઉમંગમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર ચોક,મધુવૃંદ સોસાયટી ગુલાબ ટાવર થલતેજ,સરદાર પટેલ ચાર રસ્તા વસ્ત્રાપુર ખાતેના ગણેશ સ્થાપનમાં જઈને શ્રીજી ના દર્શન,અર્ચન કર્યા હતા.આ પ્રસંગે વિવિધ વિસ્તારના સ્થાનિક  અગ્રણીઓ ભક્તજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા