આજે પર્વાધિરાજ પયુર્ષણ પર્વનો અંતિમ દિવસ છે. જેને સંવત્સરી પર્વ કહેવામાં આવે છે. આઠ-આઠ દિવસના ધર્મારાધન પછી આજે પોતાના હાથે જાણતા-અજાણતા થયેલ ભૂલોની આલોચના કરી, હૃદયમાંથી વૈર, ક્રોધાદિ અનિષ્ટોને દૂર કરી પ્રત્યેક જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખીને મન અને આત્માને વિશુધ્ધ કરી પોતાના હાથે થયેલા પાપોની આલોચના કરવાની હોય છે.