ગાંધીનગર ખાતે ગત તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને રાજ્યભરના ગૌસ્વામી સાધુ સમાજના સંતો મહંતો સહિતના મુખ્ય આગેવાનો સહિતના વિશાળ સંખ્યામાં સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તમામ ઉપસ્થિત સંતો મહંતોનું પુષ્પ ગુંજ સાથે સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ ત્યારે ગીર સોમનાથના ટોબરા ગામે આવેલ જીલેશ્વર મહાદેવ આશ્રમના મહિલ મહંત શ્રી સાધ્વી સરયુગિરિજિ ગુરુ લહેરગીરીનું સન્માન કરવામાં આવેલ હતું આ પ્રસંગે સાધ્વી સરયુદેવીના સેવકગણ ચંદ્રિકાબેન મકવાણા હેતલબા જાડેજા સહિત અનેક મહિલા સેવિકાઓ ઉપસ્થિત રહી હતી આ સ્નેહ મિલન સંમેલનમાં ધાર્મિક સ્થળોના લાઈટ બીલો માફ કરવા સહિત અનેક મુદે યોગ્ય કરવા ખાસ આવેદન પત્ર પાઠવવામાં આવેલ અને સરકાર તરફથી યોગ્ય કરવા મુખ્ય મંત્રીશ્રીએ આશ્વાસન આપેલ હતું આ તકે જીલેશ્વર મહાદેવ આશ્રમ ટોબરા ના મહંત શ્રી સાધ્વી સરયુદેવીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિતો માટે મુખ્યમંત્રી તરફથી સ્વરૂચિ ભોજન વ્યવશ્થા પુરી પાડવામાં આવેલ હતી તેમજ તમામ લોકોને પ્રસાદી ભેટ તરીકે લાડુઓના બોક્સ તેમજ ગિફ્ટો આપવામાં આવેલ હતી.

રીપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી