રાજ - કારણ:પાટીલના આગમન પહેલા ભાજપ પ્રમુખ ભીંસમાં ભાજપનો એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ, વિવાદો સમવાને બદલે વધુ વકર્યા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રીતે ભાજપના અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે તે પૂર્વે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદો અને વાણી વર્તણૂકને કારણે વિવાદો વકર્યા છે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ સામે કરેલી ટિપ્પણીનો આક્રોશ શાંત પડ્યો નથી ત્યાં ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા પર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપી છે. મુકેશભાઈએ સમાજની માફી માગી પરંતુ કારડીયા રાજપૂત સમાજ મુકેશ લંગાળીયાના રાજીનામાનો જ આગ્રહ રાખી વિરોધદર્શી કાર્યક્રમો આપી રહ્યા છે. જેથી હાલમાં ભાજપ ભાજપથી જ ઘોરાયું છે. ગીતાબેનના આક્ષેપો વાહિયાત , પુરાવો રજૂ કરશે તો જાહેર જીવન છોડીશ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા લગાવાયેલા આક્ષેપો તદન પાયાવિહોણા છે. મેં હંમેશા ગીતાબેનને નાના બેન તરીકે જ રાખ્યા છે. રાજીનામુ મહિલા મોર્ચાના પ્રમુખપદેથી તેઓએ સામે ચાલીને આપ્યું હતું. મેં માગ્યું ન હતું, એ સમયે પણ મેં પક્ષમાં કામ કરવા કહ્યું હતું. આજે છછ મહિના વીત્યા પછી જ્યારે ચૂંટણી આવી રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ગીતાબેનની આ વાતો ફક્ત રાજકીય છે. ગીતાબેન વારેવારે કહે છે કે હું ધડાકો કરીશ તેવી કોઇ વાત એમની પાસે નથી. કે જો કોઇ પુરાવો રજૂ કરે તો હું જાહેર જીવન છોડી દઇશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনাৰ বাসুদেৱথান নৰোৱা সত্ৰৰ সভাঘৰত গো-পালক সকলৰ সভা
ঢকুৱাখনাৰ বাসুদেৱথান নৰোৱা সত্ৰৰ সভাঘৰত গো-পালক সকলৰ সভা।
કોરોના મહામારીનાં બે વર્ષ બાદ યોજાવા જઈ રહ્યો છે ભાદરવી પૂનમનો મેળો
કોરોના મહામારીનાં બે વર્ષ બાદ યોજાવા જઈ રહ્યો છે ભાદરવી પૂનમનો મેળો
अब स्मार्टवॉच से होगा डिप्रेशन का इलाज, जानिए कैसे होगी लोगों की मदद
मनोवैज्ञानिकों ने बताया कि स्मार्टवॉच सटीक चिकित्सा पर ध्यान केंद्रित करने का हिस्सा है जो...
शिक्षकों ने पांच सूत्रीय मांगों को लेकर उपखण्ड अधिकारी तालेड़ा को सौपा ज्ञापन
बूंदी
फ़रीद खान
शिक्षकों ने उपखंड अधिकारी तालेड़ा को राजस्थान सरकार के नाम 5 सूत्री मांग पत्र...
PM Modi की घेराबंदी कर रहे विपक्ष को पटखनी देने BJP का प्लान तैयार। Netanagri। No Confidence Motion
PM Modi की घेराबंदी कर रहे विपक्ष को पटखनी देने BJP का प्लान तैयार। Netanagri। No Confidence Motion