રાજ - કારણ:પાટીલના આગમન પહેલા ભાજપ પ્રમુખ ભીંસમાં ભાજપનો એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ, વિવાદો સમવાને બદલે વધુ વકર્યા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રીતે ભાજપના અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે તે પૂર્વે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદો અને વાણી વર્તણૂકને કારણે વિવાદો વકર્યા છે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ સામે કરેલી ટિપ્પણીનો આક્રોશ શાંત પડ્યો નથી ત્યાં ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા પર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપી છે. મુકેશભાઈએ સમાજની માફી માગી પરંતુ કારડીયા રાજપૂત સમાજ મુકેશ લંગાળીયાના રાજીનામાનો જ આગ્રહ રાખી વિરોધદર્શી કાર્યક્રમો આપી રહ્યા છે. જેથી હાલમાં ભાજપ ભાજપથી જ ઘોરાયું છે. ગીતાબેનના આક્ષેપો વાહિયાત , પુરાવો રજૂ કરશે તો જાહેર જીવન છોડીશ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા લગાવાયેલા આક્ષેપો તદન પાયાવિહોણા છે. મેં હંમેશા ગીતાબેનને નાના બેન તરીકે જ રાખ્યા છે. રાજીનામુ મહિલા મોર્ચાના પ્રમુખપદેથી તેઓએ સામે ચાલીને આપ્યું હતું. મેં માગ્યું ન હતું, એ સમયે પણ મેં પક્ષમાં કામ કરવા કહ્યું હતું. આજે છછ મહિના વીત્યા પછી જ્યારે ચૂંટણી આવી રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ગીતાબેનની આ વાતો ફક્ત રાજકીય છે. ગીતાબેન વારેવારે કહે છે કે હું ધડાકો કરીશ તેવી કોઇ વાત એમની પાસે નથી. કે જો કોઇ પુરાવો રજૂ કરે તો હું જાહેર જીવન છોડી દઇશ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય અલ્પેશ ઠાકોર 100 જેટલા સમર્થકો સાથે પાવાગઢ પધાર્યા ઠાકોર સેના દ્વારા સાકર તુલા કરી ભવ્ય સ્વાગત કરાયું.
સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આર્શીવાદ...
JP Morgan On Maruti Suzuki | EV के Slowdown से किसे होगा फायदा? क्यों इस Stock पर बढ़ा भरोसा?
JP Morgan On Maruti Suzuki | EV के Slowdown से किसे होगा फायदा? क्यों इस Stock पर बढ़ा भरोसा?
स्वामी शांति प्रकाश सेवा समिति ने 200 जरूरतमंद परिवारों को बांटा निशुल्क राशन
स्वामी शांति प्रकाश सेवा समिति गुमानपुरा कोटा द्वारा हर महीने की तरह माह के प्रथम रविवार को...
आसाराम बापू को सुप्रीम कोर्ट से झटका, सजा माफ करने की याचिका खारिज; दी ये सलाह
Supreme Court to Asaram Bapu यौन दुष्कर्म मामले में सजा काट रहे आसाराम बापू को आज...
વડગામ પો.સ્ટે.વિસ્તાર માંથી માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ
વડગામ પો.સ્ટે.વિસ્તાર માંથી માદક પદાર્થ ગાંજો ૬.૫૭૨ કિલો ગ્રામ કિ.રૂ.૬૫,૭૨૦/- ના મુદ્દામાલ સાથે...