અમદાવાદ શહેરની ઓળખ બની ચૂકેલ વિશ્વ પ્રસિદ્ધ રિવરફ્રન્ટની શોભા અને સગવડમાં અનેક ગણો વધારો કરનાર અટલ બ્રિજના લોકાર્પણ પ્રસંગે તથા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પ્રિય તેવા સ્વદેશીના પ્રતીકસમા અને લાખો લોકોને રોજગારી આપનાર ચરખાનું રિવરફ્રન્ટ પર ૭૫૦૦ મહિલા કારીગરો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન કરાવવા અને નવી પેઢીમાં પણ ચરખાનું રાષ્ટ્રીય મહત્વ સમજાવવા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહી પ્રેરણા અને પ્રોત્સાહન આપવા અમદાવાદ - ગુજરાત પધારતા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખૂબ ખૂબ સ્વાગત છે.