સંજેલી નગરની મીલ વાળી ચાલીથી લઈને નવા બસ સ્ટેશન સુધીનો રસ્તો થયો બિસ્માર. રાહદારીઓ,વાહનચાલકો અને સ્થાનિક રહીશોને પારાવાર હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો. 

દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકાના મુખ્યમથક સંજેલી નગરનો મિલવાળી ચાલીથી નવા બસસ્ટેશન સુધીનો માર્ગ એકધમ બિસમાર અને બદતર હાલતમાં પહોંચી ગયો છે. આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ,વાહનચાલકો તેમજ આજુ બાજુ રહેતા રહીશોને પારાવર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે કામગીરી જો ના કરવામાં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ગ્રામપંચાયત સંજેલી દ્વારા જલ્દીથી જલ્દી આ બદતર હાલતવાળા રસ્તાનું કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે