ગુલામ નબી આઝાદના રાજીનામા પર, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરતા આઝાદના પાંચ પાનાના પત્રની યોગ્યતા પર ટિપ્પણી કરવા માંગતા નથી.

તેઓએ કહ્યું કેજ્યારે કોંગ્રેસના નેતાઓના પટાવાળાઓ પાર્ટી વિશે જ્યારે જ્ઞાન આપે છે, ત્યારે તે હસવું આવે છે.
તેમણે કહ્યું કે નવાઈની વાત એ છે કે જેઓ વોર્ડની ચૂંટણી લડવાની ક્ષમતા નથી અને જે કોંગ્રેસના નેતાઓના પટાવાળા હતા તેઓ હવે પાર્ટી વિશે જ્ઞાન આપવા લાગ્ય છે તે ખુબજ હાસ્યાસ્પદ છે.
આઝાદ પાર્ટી છોડી ગયા અને જે બન્યું તે ખેદજનક છે, કમનસીબ છે.

મનીષ તિવારીએ વધુમાં કહ્યું કે અમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. મેં આ પાર્ટીને 42 વર્ષ આપ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે, અમે કોંગ્રેસના ભાડુઆત નથી, અમે સભ્યો છીએ. હવે જો તમે અમને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો, તો તે બીજી વાત છે.

મનીષ તિવારીએ વધુમાં કહ્યું કે બે વર્ષ પહેલા અમારામાંથી 23 લોકોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ ચિંતાજનક છે જેના પર વિચાર કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે ઉત્તર ભારતના લોકો, જે હિમાલયની ટોચ તરફ રહે છે, તેઓ જુસ્સાદાર, આત્મવિશ્વાસ ધરાવતા લોકો છે.
છેલ્લા 1000 વર્ષોથી, તેમની અસર આક્રમણકારો સામે લડવામાં આવી છે. આ લોકોની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ.