પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ નાં ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા PM  મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજનારા ખાદી ઉત્સવમાં હાજરી આપશે ત્યારબાદ સાબરમતી નદી પર બનેલા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરશે અને સાંજે અમદાવાદમાં જાહેર જનસભાનું સંબોધન કરશે ત્યારબાદ ગાંધીનગર રાજ ભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

ત્યારબાદ આવતીકાલે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની PM મોદી ભેટ આપશે.