ગુજરાત પોલીસકર્મી દ્રારા ગ્રેડ પે ને લઇ છેલ્લા કેટલાક સમયથી માગણીઓ ચાલી રહી હતી જેમાં કેટલાક પોલીસકર્મી પોતાની માગણીઓને લઇ ગાંધીનગરમાં સચિવાલયના ગેટ કે પછી ભૂખ હડતાળ અનશન સુધી પણ આ બાબત લડત આપવામાં આવી હતી, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો ગુજરાતની જનતાને ગેંરટીઓ આપી રહ્યા હતા તે દરમિયાન તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દેશના તમામ રાજ્ય કરતા ગુજરાતમાં પોલીસને શ્રેષ્ઠ પગાર આપીશું તેવી જાહેરાત કરી હતી જે બાદ રાજ્ય સરકાર એકાએક સફાળી જાગી હતી 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ પોલીસ પરિવાર માટે પગાર વધારાની જાહેરાત કરી હતી જેને લઇ સમ્રગ પોલીસ બેડામાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતુ

રાજ્યસરકાર પોલીસકર્મીઓને જાહેર કરેલા પકેજનું સપ્ટેમ્બર મહિનથી લાભ મળશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે જેમાં સરકારે નક્કી કરેલા પ્રમાણે એલાંઉસ મળશે તેવી જી આર દ્રારા જાહેરાત કરાઇ છે 14 ઓગ્સ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી પોલીસકર્મીઓ માટે પેકેજની જાહેરાત કરી હતી તેના આધારે તૈયાર થઇ રહ્યો છે વધારે એલાઉન્સની વિગતોને તૈયાર કરવામાં આવી રહ્યો છે ગ્રેડ પે સિવાય પોલીસેકર્મીઓ જાહેરાત પ્રમાણે વધુ પગાર મળશે જેમાં પત્યેક કર્મચારીને પગારનું ગણિત લગાવ્ય તો પત્યેક પોલીસકર્મીને 5 હજાર વઘારો કરવામાં આવ્યો છે.