ઘઉંની નિકાસ પર પહેલેથી જ મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ

દેશમાં ઘઉંના જથ્થાને સુનિશ્ચિત કરવા અને કિંમતો સ્થિર કરવા માટે, કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ પછી પણ દેશમાંથી ઘઉંની નિકાસ કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દ્વારા નિર્ણય પહેલા મંજૂર કરાયેલ કન્સાઈનમેન્ટને એક્સપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે દેશની અંદર ઘઉં અને લોટના ભાવને અંકુશમાં રાખવા માટે ગતરોજ મહત્વનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત કેન્દ્ર સરકારે ઘઉંના લોટ પરના પ્રતિબંધને આગળ વધારીને સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે જે હેતુથી રોજેરોજ લોટની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી તેની અસર બજારમાં દેખાવા લાગી છે.જે અંતર્ગત પ્રતિબંધ લંબાવવાની જાહેરાતના બીજા દિવસે એટલે કે શુક્રવારે દેશની વિવિધ મંડીઓમાં ઘઉંના ભાવ માં ઘટાડાનો તબક્કો શરૂ થઈ ગયો છે. જો કે આ ઘટાડા પછી પણ ઘઉંના ભાવ MSP કરતા વધુ ચાલી રહ્યા છે. આ સિઝન માટે ઘઉંની MSP 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધવામાં આવી છે.

25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા લોટની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ ઘઉંના ભાવમાં થયેલા ઘટાડાની માહિતી આપતા બવાનામાં ફ્લોર મિલ સંચાલક અને બિઝનેસ લીડર રાજીવ ગોયલ કહે છે કે કેન્દ્ર સરકારના નિર્ણયની અસર બજારમાં દેખાવા લાગી છે. જે અંતર્ગત એક જ દિવસમાં ઘઉંની કિંમત 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી નીચી ગઈ છે. રાજીવ ગોયલ વધુમાં કહે છે કે શુક્રવારે દિલ્હી-NCRમાં ઘઉંની કિંમત 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, તેવી જ રીતે મુરેના મંડીમાં ઘઉંની કિંમત 2380 ક્વિન્ટલ હતી, હરિયાણાની મંડીમાં ઘઉંની કિંમત 2350થી 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. આ તમામ કિંમતો 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીના ઘટાડા પછી છે.

ઓછી ઉપજ પછી 14 વર્ષમાં સૌથી ઓછો ઘઉંનો સ્ટોક

વાસ્તવમાં આ વખતે દેશ ઘઉંના સંકટનો સામનો કરી રહ્યો છે. તેનું મુખ્ય કારણ ઘઉંની ઓછી ઉપજ છે. વાસ્તવમાં આ વખતે અકાળ ગરમીના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું હતું. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ઘઉંના ઉત્પાદનમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં દેશની અંદર ઘઉંનો સ્ટોક 14 વર્ષમાં સૌથી નીચા સ્તરે નોંધાયો છે. જે બાદ ઘઉંની આયાતની અટકળો ચાલી રહી હતી. જેને ગ્રાહક વિભાગ દ્વારા ભૂતકાળમાં ફગાવી દેવામાં આવ્યો હતો.