ભાજપ મોટો કે રાજપૂત સમાજ ? અમે ભાજીમુળા નથી, રાજીનામુ લઈ લો જિલ્લા ભાજપ પ્રમુખના વિધાને વિવાદ સર્જ્યો ભાજપ પ્રમુખના સસ્પેન્શનની માંગ સાથે રેલી કાઢી પુતળું બાળ્યું ભાજપની બેઠકમાં ગેરહાજર રહી સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેતા તાલુકા મહામંત્રી વિરુદ્ધ ધમકીભર્યા સૂરથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં વધતા જતા વિવાદો અને વિખવાદોને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી વર્તણૂકને કારણે અવાર નવાર વિવાદોમાં સપડાતા રહે છે. ત્યારે તાજેતરમાં સિહોરમાં ભાજપની બેઠકમાં ગેરહાજર રહી તાલુકા મહામંત્રી કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં જતા "ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ..?'નું તાલુકા ભાજપ પ્રમુખને કહી મહામંત્રીનું રાજીનામું લઈ લેવા સુધીના ધમકીભર્યા સૂરોથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે. જિલ્લા ભાજપના પ્રમુખનું પૂતળું બાળી તેઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. ભાવનગર જિલ્લા ભાજપનું સંગઠનનું માળખું માંડ માંડ વ્યવસ્થિત ચાલે છે ત્યાં ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાના વિવાદો ઊભા થાય છે. અગાઉ પણ તેઓની વિરુદ્ધમાં ફરતી પત્રિકાઓને લઈ પ્રદેશ કક્ષા સુધી ફરિયાદો થઇ હતી. ત્યારબાદ ભાજપના કાર્યક્રમોમાં અને સંગઠનની બેઠકોમાં પણ હોદ્દેદારો સામે ધમકીભર્યાસૂર વાપરતા હોવાની પણ ભાજપના જ આગેવાનો દ્વારા પ્રદેશ હોદ્દેદારોને રજૂઆતો થઇ હતી. ત્યારે તાજેતરમાં સિહોર તાલુકા ભાજપની મળેલી બેઠકમાં તાલુકા મહામંત્રી વિજયસિંહ ચુડાસમા હાજર નહીં હોવાથી તાલુકા પ્રમુખ કાળુભાઇ ચૌહાણને પૂછતાં કારડીયા રાજપૂત સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ગયા હોવાથી વિજયસિંહ ભાજપની બેઠકમાં હાજર રહ્યા ન હોવાનું જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री एकनाथ शिंदे यांची हास्य कलाकार राजू श्रीवास्तव यांना श्रद्धांजली हरहुन्नरी, निखळ कलावंत गमावला !
मुंबई, दि. २१:- 'रोजच्या जगण्यातील छोट्या प्रसंगांतून कुशलतेने हास्य फुलवणारा आणि आपल्या निखळ...
જગતજનની માં અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓ ને આરામ કરવા માટે તેમજ નાસ્તા માટેની ઉત્તમ સુવિધાઓ મળી રહે તેવા સેવા ના ઉમદા હેતુથી બનાસ બેંક પરિવાર દ્વારા બેંકની મુખ્ય કચેરી ખાતે "સેવા કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું.
પાલનપુર ખાતે હાઈવે પર આવેલ જિલ્લાની મુખ્ય બનાસ બેંક દવરા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ...
લાખણી તાલુકાના નાંદલા ગામમાં ચકચાર
લાખણી તાલુકાના નાંદલા ગામમાં ચકચાર
Spark Today News Headlines 16/10/2022
Spark Today News Headlines 16/10/2022
ધારી મોણવેલ ગામે વિધાનસભા બેઠક માટે આપ પાર્ટીની મીટિંગ યોજાઈ
ધારી મોણવેલ ગામે વિધાનસભા બેઠક માટે આપ પાર્ટીની મીટિંગ યોજાઈ