ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ જનતાને પ્રલોભન આપી રહી છે અને હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં દિલ્હી અને પંજાબ મોડેલ શિક્ષણ,ફ્રી વીજળી,રોજગારી વગરે લાગુ કરવા વાયદા કરવામાં આવી રહયા છે ત્યારે હવે અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની લોકપ્રિય મુખ્યમત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.

ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે તો રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.
તેઓના મતે રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી,જો ર૦રર માં કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે અને ગુજરાતમાં રાઈટ ટુ હેલ્થ મોડલ લાગુ કરાશે.
આમ, કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં સ્વાસ્થ્ય યોજના લાવવા પ્રોમિસ આપવામાં આવ્યું છે.