પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. દેરાસરો તથા ઉપાશ્રયોમાં ભવ્ય શણગાર રચવામાં આવ્યો છે. પરમાત્માની આંગી રચવામાં આવી છે. તપ વડે મનશુદ્ધિ તથા કાયશુહદ્ધિનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો જૈનોમાં આજથી પ્રારંભ થયો છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્મશુદ્ધિનું મહાપર્વ છે. આઠ આઠ દિવસ સુધી ઉપાશ્રચોમાં પૂ. ગુરૂ ભગવંતોના કલ્યાણકારી પ્રવચનો તથા ધાર્મિક અનુષ્ઠાનો થશે. આઠ આઠ દિવસ જૈનોમાં તપ અને ત્યાગનો મહિમા ગવાશે.સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના જૈનો અનેરા ધર્મોલ્લાસ સાથે કરશે અને આત્માને નિર્મળ બનાવવાનો પ્રયાસ કરશે. દેરાવાસી જૈનો કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે તથા પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્ના અનેરા ધર્મોલ્લાસ સાથે ઉતારવામાં આવશે. દરેક સ્વપ્નાની ઉછામણી બોલી બોલાશે. વીરપ્રભુના પારણાની બોલી 

બોલાયા પછી લાભાર્થી પરિવારને આંગણે વાજતે ગાજતે વીર પ્રભુનું પારણુ લઈ જવાશે. ત્યારબાદ સંવત્સરી પર્વ ઉજવશે.જીનાલયોને રોશની અને કમાન તોરણથી સુશોભિત બનાવાયા છે આજ પ્રથમ દિવસથી ધર્મભકિતનો માહોલ ઉભો થયો છે. જિનાલચોમાં સવારે રાઈસી પ્રતિક્રમણ, સ્નાત્ર પૂજન, પૂ. ગુરૂભગવંતોના વ્યાખ્યાન પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી, રાત્રે ભાવના (ભકિત સંગીત) ભણાવાશેો. શ્રાવક શ્રાવિકાઓ આઠેય દિવસ શીન વષો પહેરીને દરેક ધર્માનુષ્ઠાનમાં ભાગ લેશે.