કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં ઘૂંટણ થી લઈ કેડસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ આ પાણી ધીમે ધીમે ગામમાંથી ઓસરી રહ્યા છે. સતત વરસાદના કારણે અભરીપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીના કારણે કેટલાક મકાનો ધરાશાયી થયા છે તો કેટલાક મકાનોની દિવાલો પડી ગઈ છે અને ખેતીના પાકોને પણ નુકસાન આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. અભરીપુરા વિસ્તારમા આશરે ૪૦ વીઘા થી વધુ જમીનમાં ડાંગર,મગફળી અને જાર જેવા પાકોમાં પાણી ભરાઈ જવાથી પાક કોહવાઈ જવાની હાલત થઈ છે અને જગતનો તાત ચિંતિત બન્યો છે અને ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ તો અભરીપુરના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે કે વરસાદી પાણીના કારણે થયેલ મકાનોના નુકસાન તથા ખેતીના નુકસાન નો સરકાર અને તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સ્થાનિકોને થોડી રાહત થાય તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દસાડાના ગવાણા વરમોર વચ્ચે હાઇવે રોડ પરથી અકસ્માત થયેલી એછવાડાના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી
દસાડાના ગવાણા વરમોર વચ્ચે હાઇવે રોડ પરથી અકસ્માત થયેલી એછવાડાના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી...
લીમખેડા વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા બાબત
લીમખેડા વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા બાબત,લીમખેડા વિધાનસભા મતદાર...
अवैध हथियार देशी पिस्टल के साथ एक शातिर बदमाश गिरफ्तार
भीमगंज मंडी थाना पुलिस ने अवैध हथियार के खिलाफ कावाई कड़ते हुए रेलवे चम्बल ब्रिज के पास पम्प हाउस...
અંબાજીમાં માર્બલના વેપારીએ સસ્તી ગાડીના ચક્કરમાં રૂ. 31.50 લાખ ગુમાવતાં ચકચાર
અંબાજીના માર્બલના વેપારીએ રાજસ્થાનમાં આબકારી વિભાગમાં પકડાયેલ ગાડી સસ્તા ભાવે લેવા રૂ. 31.50 લાખ...