કોંગ્રેસના નેતા જયવીર શેરગીલે બુધવારે રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે. જયવીર શેરગિલ ભારતની સર્વોચ્ચ અદાલતમાં વ્યવસાયે વકીલ છે. સોનિયા ગાંધીને આપેલા રાજીનામાના પત્રમાં શેરગીલે કહ્યું છે કે પાર્ટીમાં નિર્ણયો “સ્વાર્થથી પ્રભાવિત” થઈ રહ્યા છે.

તેણે લખ્યું, “મને એ કહેતા દુ:ખ થાય છે કે હવે લોકો અને દેશના હિતમાં નિર્ણયો લેવામાં આવતા નથી, પરંતુ તે લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે, જેઓ બેફામ છે અને જમીની વાસ્તવિકતાની સતત અવગણના કરી રહ્યા છે.” રાજીનામું આપતા પહેલા તેઓ કોંગ્રેસના સૌથી યુવા રાષ્ટ્રીય મીડિયા પેનલિસ્ટ હતા.