દાહોદ ગરબાડા હાઇવે રોડ પર આવનાર અકસ્માતોની ઘટના બનતી રહે છે, ત્યારે ગતરોજ રાત્રીના સમયે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

ગરબાડાના ખારવા નજીક દાહોદ અલીરાજપુર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં શાકભાજી ભરીને દાહોદથી અલીરાજપુર તરફ જતી પીકઅપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં પીકઅપ ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.