શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી વિધાર્થીઓ નો સનમાન સમારોહ તા. ર૧/૦૮/ર૦રર, રવિવાર ના રોજ બંધન પાર્ટીપ્લોટ સિહોર ખાતે યોજાઈ ગયો હતો સમારોહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ (આસી. કમીશ્નર, સેલ ટેક્સ) તથા અતિથી વિશેષ શ્રી રણજીતસિંહ મોરી (મામલતદાર), શ્રી વિજયસિંહ વાળા (આસી. ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ), દીપસિંહ ચાવડા (આસી.રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર); શ્રી નારણભાઈ મોરી (પ્રમુખ, ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત વિકાસ મંડળ) ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લા માંથી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓ ને સન્‍માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ ના પ્રમુખ જયરાજસિંહ મોરી, મહામંત્રી ચીથરસિંહ ચૌહાણ તથા યુવાસંઘ ના તમામ કારોબારી સદસ્યો દ્વારા ભારેજહેમત ઉઠાવી હતી